પ્રા. શિક્ષકો માટે વસ્તીપત્રકની કામગીરી સ્વૈચ્છિક રહેશે
પ્રાથમિક શિક્ષકો માટે રાષ્ટ્રીય. વસ્તી પત્રકની કામગીરી સ્વૈચ્છિક રહેશે તેવા પ્રા. શિ. નિયામકના પરિપત્રને પગલે શિક્ષકોમાં ખુશી ફેલાઇ હતી.
આર.ટી.ઇ. એક્ટની જોગવાઇ મુજબ પ્રા. શિક્ષકો પાસેથી શિક્ષણ સિવાયની કામગીરી લેવાની મનાઇ હોવા છતાં સમગ્ર રાજ્યમાં પ્રા. શિક્ષકોને રાષ્ટ્રીય વસ્તીપત્રક (એન.પી.આર.) તૈયાર કરવાની કામગીરી સોંપાઇ હતી. જેના પગલે રાજ્ય પ્રા. શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા તથા મહામંત્રી સતીશ પટેલ દ્વારા તમામ જિલ્લા સંઘોને જાણ કરી શિક્ષકોને આ કામગીરીનો બહિષ્કાર કરવા જણાવાયું જેના પગલે સરકારના સામાન્ય વહીવટ વિભાગ નિયામકને પત્ર પાઠવી શિક્ષકો આ કામગીરી સારી રીતે કરી શકે તેમ જણાવી આદેશ કરવા જણાવ્યું હતું.
ત્યારબાદ રાજ્ય સંઘ દ્વારા ફરી વાર નિયામક પાસે રજૂઆત કરાઇ હતી. આખરે પ્રા. શિક્ષણ નિયામકે પરિપત્ર બહાર પાડી આ કામગીરી સ્વૈચ્છિક હોવાનું જણાવ્યું છે. આગામી જાન્યુઆરીમાં ગુણોત્સવ કાર્યક્રમ હોઇ આ કામગીરીમાં વિક્ષેપ થવાનો સંભવ હોવાથી એન.પી.આર.ની કામગીરી શિક્ષકોને ન સોંપાય તેમજ શિક્ષકો વિરુદ્ધ કોઇ કાર્યવાહી ન કરાય તેવી માંગ રાજ્ય સંઘે નિયામક પાસે કરી હતી જેના પગલે નિયામકે જે શિક્ષકો સ્વૈચ્છિક રીતે સંમત થતા હોય તેમને જ શૈક્ષણિક કાર્યને બાધ ન આવે તે રીતે કામગીરી કરવા જણાવ્યું છે.
Pages
- Home
- 2015 Na Tamam Paripatro
- 2014 Na Tamam Paripatro
- 2012-13 Na Paripatro
- Std 1-8 nu masvar ayojan
- પરિપત્રો
- USEFUL FILES FOR SCHOOL
- પ્રેરક લેખ
- પરિક્ષા ના પત્રકો એક્સલ ફોર્મેટ માં
- Learn Computer
- Extra Activity Corner for Std 5 to 8
- Exrta Teaching Material
- Bal Sahitya
- PRAGNA MATERIAL
- Useful Links
- HTAT All G.r And Information
- Mulki Seva Niyamo 2002
- TEXTBOOK 1 TO 8
- RTI AND RTE in gujarati
- All newspaper
- EBOOK LIBRARY
- Contect Me
Thursday, 10 December 2015
NPR KAMGIRI
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment